જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને જીવતર ટુકાવ્યું

  • June 12, 2026 07:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને જીવતર ટુકાવ્યું

કારણ જાણવા માટે પોલીસ દ્વારા કરાતી જીણવટભરી તપાસ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર આનંદ સોસાયટીમાં રહેતા એક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
શહેરની આનંદ સોસાયટીમાં રહેતા નરેશભાઇ ઉર્ફે યોગેશ ભાસ્કરભાઇ કકકડ (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે છતના હુંકમાં ચુંદડી વડે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી આથી ટુકડી તાકીદે દોડી ગઇ હતી.
​​​​​​​
ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ અંગે વિમલપાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશ ભાસ્કરભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવાને કયા કારણસર પગલુ ભર્યુ એ અંગે તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application