જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવ પાસે આવેલા ઐતિહાસિક ભુજીયા કોઠાનું રિનોવેશન કામ પૂર્ણ થતા આવતીકાલથી પ્રવાસીઓ ભુજીયા કોઠાની મુલાકાત લઈ શકશે, રક્ષિત સ્મારકને આવતીકાલથી સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે....
જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પાસે ઈ.સ. ૧૮૪૦ માં દુષ્કાળ રાહત કામગીરી માટે આ ગોળ બાંધણી ધરાવતા કલાત્મક અને આકર્ષક ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ કરાવેલ.
જેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો, તેમજ તેનુ બાંધકામનું કામ ઈ.સ. ૧૮૩૯ થી ૧૮૫૨ એટલે કે ૧૪ વર્ષ જેટલો સમય લાગ્યો હતો તથા ૧૭૪ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી ઈમારત (સ્કાય સ્કેપર) કહેવાતી હતી, જેનું કંઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રી-પ્રોડકશનનુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.
આ રક્ષિત સ્મારકને સહેલાણીઓને નિહાળવા માટે તા.૧૯/૦૩/૨૦૨૬ ના રોજ ગુરુવાર થી ખુલ્લું મુકવામાં આવશે તેમજ સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકની ઉંચાઈ તેમજ તેની બાંધકામ શૈલીને ધ્યાને લઇ અકસ્માત નિવારવા તેમજ સલામતીના ભાગરૂપે આ ઈમારતના પ્રથમ બે માળ માટે ૫૦ વ્યક્તિ તથા ઉપરના ત્રણ માળ માટે ૨૫ વ્યક્તિને વારાફરતી ઉપર નિહાળવા જવા દેવામાં આવશે.
જેમાં જામનગરના તથા બહારથી આવતા સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકને નિહાળવા આ નિયમનું પાલન કરવા અપીલ છે તથા જામનગર મહાનગરપલીકા તંત્રને સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
