જામનગરમાં સખી મંડળના મહિલા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવા લોકોને વિનંતી કરાઈ
સરકાર દ્વારા વોકલ ફોર લોકલના સુત્રને સાકાર કરવા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે અને લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.
મહાકાલી સ્વસહાય જૂથના મહિલા શિવાંગીબા ચૌહાણ જણાવે છે કે, દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા તેઓને ખુબ સારો ટેકો મળ્યો છે.
એક અઠવાડિયા માટે જામનગરમાં શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવતા વડાપ્રધાનના સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સૂત્રને સાર્થક કરવાનો મોકો મળ્યો છે. ગ્રુપની મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારની હેન્ડમેડ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં તેઓ તોરણ, ટોડલીયા, પૂજા થાળી, શોપીસ, દિવાળીના તહેવાર દરમિયાન સુશોભનની વસ્તુઓ ઉપરાંત મુખવાસનું વેચાણ કરે છે.
શિવાંગીબા લોકોને વિનંતી કરતા જણાવે છે કે, બધા સ્વદેશી વસ્તુઓ અપનાવે તો સ્થાનિક લોકોનો જ વેપાર થશે અને તેઓ આગળ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
