જામનગર સિંધી સમાજમાં આક્રોશ — ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સિંધી જાતીય પ્રત્યે કરેલ છતીસગઢના અમિત બઘૈલ દ્વારા અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રેલી અને આવેદન...
છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરમાં જેસીપી અધ્યક્ષ અમિત બઘૈલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજી વિરુદ્ધ અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજની ધાર્મિક તથા સામાજિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે.
આ ઘટના વિરુદ્ધ જામનગર સિંધી સમાજ દ્વારા આજે સાંજે ઝૂલેલાલ ચોક ખાતે આવેલ ઝૂલેલાલ મંદિર પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. "અમિત બઘૈલ મુર્દાબાદ", "સિંધિયત કા અપમાન નહી સહેંગે", "અપને ઇષ્ટ કા અપમાન નહી સહેંગે", "અમિત બઘૈલ માફી માંગો" જેવા સૂત્રોચાર વચ્ચે રેલી સ્વરૂપે સમાજના સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા.
ત્યાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર ને આવેદન પાઠવી અમિત બઘૈલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. આવેદનમાં જણાવાયું છે કે, આરોપી દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ગુના હેઠળ BNS કલમ 299 અને 196 મુજબ ગુન્હો નોંધી આના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
સિંધી સમાજે ચેતવણી આપી છે કે જો અમિત બઘૈલ એક સપ્તાહની અંદર જાહેર માફી નહીં માગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે તેમજ કોર્ટમાં ન્યાય માટે લડત ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
