જામનગરમાં આર્થિક સંકળામણની ચિંતામાં યુવાનનો આપઘાત
દરેડમાં બિમારીના કારણે યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી
જામનગરના કલ્યાણ ચોકમાં રહેતા એક યુવાને કડીયાકામ બરાબર ચાલતુ ન હોય જેથી આર્થીક સંકળામણની ચિંતામાં દવા પીને આપઘાત કરી લીધો છે, જયારે દરેડ ખોલીમાં રહેતા પરપ્રાંતીય યુવાને બિમારીના કારણે ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયુ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં રહેતા કમલેશ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૩) નામના યુવાન છેલ્લા થોડા સમયથી કડીયાકામ બરાબર ચાલતુ ન હોય જેથી આર્થીક સંકળામણ અનુભવતા હતા જેના કારણે ચિંતામાં તા. ૧૬ના રોજ જી.જી. હોસ્પીટલ સામે હોટલ પાસે જાહેરમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે કલ્યાણ ચોકમાં રહેતા શાકભાજી વેચતા ચંદ્રેશ કાનજીભાઇ પરમાર દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં મુળ રાજસ્થાનના બાડમેરના વતની હાલ દરેડ મસીતીયા રોડ પર ખોલીમાં રહેતા શ્રીરામ રત્નારામ શિયાગ (ઉ.વ.૨૧) નામના યુવાનને પાંચેક મહિનાથી માનસીક બિમારીની દવા ચાલુ હોય અને આ બિમારીના કારણે તા. ૧૬ રાત્રીના પોતાના રૂમમાં પંખામાં પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ અંગે રત્નારામ દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
