જામનગર: યુવાનનું અપહરણ કરી માર મારી અને લૂટ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત, તપાસનીશ અધીકારીની જામીન રદ કરવાની અરજી નામંજુર
આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી શીવમભાઇ ધનજીભાઇ રાણેવાડીયા એ જામનગર સીટી બી ડીવીઝન પોલીસમાં આપેલી ફરીયાદીની વીગત મુજબ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ ફરીયાદી તેમના માતાની તબીયત ખરાબ હોય નવાગામ ધેડ ગાયત્રી ચોકમાં આવેલા દવાખાને સારવાર કરવા ગયેલા ત્યાં નવાગામ ઘેડમાં રહેતા રોહીત શીંગાળા આવેલ અને કહેલ કે ઉભોરે સાગર પરમારને તારૂ કામ છે જેથી મે કહેલ કે મારે કામ છે તેમછતાં રોહીત શીંગાળાએ મને જબરજસ્તી રોકી રાખેલ અને સાગર પરમારને ફોન કરી બોલાવેલ ત્યારબાદ એક રીક્ષામાં સાગર પરમાર તથા વિપુલ પરમાર તથા આરીફ સુમારા આવેલ અને રોહીત શીંગાળાએ કહેલ કે આને લઇજાવ જેથી સાગર આવી મારો કાઠલો ખેચી લીધેલ અને મારી મોટરસાયકલ ની ચાવી લઇ લીધેલી અને મારીજ મોટર સાયકલ માં બેસાડી મને ઇન્દીરા સોસાયટી મધુરમ સોસાયટીમાં લઇ ગયેલા અને ત્યાં એક અજાણ્યા વ્યકતી રીક્ષા લઇ ને આવેલ અને મને તેમાં જબરજસ્તીથી બેસાડી લઇ ગયેલ અને મોબાઇલની લૂંટ ચલાવેલ વીગેરે હીકીકતો સહીતની હકીકતો વાળી ફરીયાદ આપતા બી.એન.એસ ની કલમ ૧૩૭(૨), ૩૦૯(૪), ૧૧૭(૨), ૧૧પ(ર), ૩પર, ૧૨૬(ર), પ૪ વીગેર મુજબનો ગુનો નોંધાયેલ આરોપી રોહીત શીંગાળા તથા સાગર પરમાર તથા વીપુલ પરમાર તથા આરીફ આમરોણીયાનાઓને ધોરણસર અટક કરવામાં આવેલ.
આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ની તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ અટક કરવામાં અવેલ અને નામદાર કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરવામાં આવેલ જે રીમાંડ નામંજુર થતાં જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ.
જેથી આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા દવારા તેમના વકીલ અશોક એચ.જોશી દવારા જામીન પર છુટવા માટે નામાદર કોર્ટમાં અરજી કરવામાં આવેલ જે જામીન અરજી દરમ્યાન તપાસનીસ અધીકારી દવારા રોહીત ઉર્ફે ગાંડો વીશાલભાઇ શીંગાળા સામે જામનગર સીટી બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ અન્ય ગુન્હાનામાં જામીન રદ કરવા અરજી કરવામાં આવેલ.
જે જામીન અરજી તથા જામીન રદ કરવાની અરજી અન્વયે અરજદાર રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવેલ.
રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ના વકીલ અશોક એચ.જોશી દવારા એવી રજુઆત કરવામાં આવેલ કે,આરોપી નિર્દોષ છે ગુનાના કામે ખોટી રીતે શંડોવી દેવામાં આવેલ છે જેથી જમીન મુકત કરવા રજુઆત કરેલ અને જામીન રદ કરવાની અરજીમાં જણાવેલ કારણોસર જામીન રદ કરી શકાય નહી તેવી રજુઆત કરવામાં આવતા નામાદર કોર્ટ દવારા રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે તેમજ જામની મીકેનીકલી રદ કરી શકાય તેમ જણાવી અને તપસનીસ અધીકારી દાવરા કરવામાં આવેલ જામીન રદ કરવાની અરજી નામંજુર કરવામાં આવેલછે
રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ના વકીલ તરીકે અશોક એચ.જોશી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
