જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલી ધણશેરી છેલ્લાં ઘણાં સમયથી ગંદકીથી ખદબદી રહી હોય વેપારીઓ અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં આ સળગતી સમસ્યા અંગે મહાનગરપાલીકાના સંબધિત વિભાગ અને અધિકારીઓને ફરિયાદો પણ કરી છે.
પરંતુ ગંદકીની ફરિયાદો બહેરા કાને અથડાતી હોય કોઇ નિરાકરણ ન આવતા વેપારીઓ અને દુકાનદારોને હીજરત કરવી પડે તે સ્થિતિ પ્રર્વતી રહી છે. ત્યારે એસી ઓફીસમાં બેસીને કાગળ પર વિકાસકાર્યોના દીવા સ્વપ્નો દેખાડતા, સરકારી વાહનોમાં ફરતા અને સ્વચ્છ જામનગરના દાવા કરતા મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ ધણશેરીની મુલાકાત લઇ નીરીક્ષણ કરે અને ગંદકી વચ્ચે દુકાનો તથા ઓફીસમાં બેસે તો ખબર પડે કેવી યાતનાનો સામનો વેપારીઓ અને દુકાનદારો કરી રહ્યા છે.
ધણશેરીમાં ગંદકીથી તોબા અને ફરિયાદો કરી થાકેલા વેપારીઓ અને દુકાનદારોેએ આગામી ચૂંટણીમાં મતદાનનો અને મનપાના વેરા ભરવાનો બહીષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
