સફરજન, પપૈયું અને જામફળ જેવા ફાઈબરથી ભરપૂર ફળો વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે
આજના સમયમાં વિશ્વમાં 'મેદસ્વિતા'ને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની જેમ માનીને તેનાથી બચવા માટે વિવિધ ઉપાયો કરાઈ રહ્યાં છે. આપણો દેશ પણ આ સમસ્યા સામે લડત આપી રહ્યો છે. મેદસ્વિતાને માત્ર ‘હૃષ્ટપૂષ્ટ' ગણીને અવગણવું જોખમી છે. મેદસ્વિતા મુક્તી એ માત્ર શારીરિક દેખાવ માટે નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવા અનેક રોગોનું પ્રવેશદ્વાર હોવાથી માનવના સ્વાસ્થ્યપ્રદ જીવન માટે અનિવાર્ય બની ગઈ છે. મેદસ્વિતા નિયંત્રણ માટે આપણી જીવનશૈલીમાં સ્વાસ્થ્યપ્રદ ફેરફાર લાવવાની અનિવાર્યતા સમજીને ભારત સરકારના 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાન હેઠળ વિવિધ રીતે મેદસ્વિતામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સામાન્ય રીતે લોકો માને છે કે વજન ઘટાડવું એટલે કલાકો સુધી માત્ર કસરતો કરીને પરસેવો પાડવો અને ભૂખ્યા રહેવું. પરંતુ વાસ્તવમાં, વજન ઘટાડવું એ ખાસ કરીને આપણે શું ખાઈએ છીએ તેની જાગૃતિ અને પ્રયત્નપુર્વક કેળવેલી આહાર વિહાર અંગેની સ્વસ્થ આદતો છે. આપણી થાળીમાંથી તળેલ ભોજનો, ખાંડની મીઠાઈની જગ્યાએ 'ફ્રૂટ અને વેજીટેબલ'ને સ્થાન આપવું એ આ દિશામાં પહેલું કદમ છે. આ સાથે સાથે ચા કે કોફીમાં પણ ક્રમશ: ઓછી ખાંડ વાપરવાની ટેવ પાડવી જોઈએ. વધુ પ્રોસેસ્ડ ખાંડવાળા સોડા અને શરબત જેવા પીણાં બને ત્યાં સુધી ન પીને, મીઠાઈ ઓછી માત્રામાં ખાઈને પણ આહારમાં વધુપડતી ખાંડ નિયંત્રિત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
