જામનગર:જામનગર સિંધી સમાજ દ્વારા લોકશાહીના મૂલ્યો અને પરસ્પર સમજૂતીના સંગમ સાથે આગામી ૩ વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગત ૩૧ જાન્યુઆરીના રોજ યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન પ્રમુખ પદ માટે છેલ્લા ચાર દાયકાઓથી વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર હોવા છતાં હંમેશા 'સામાન્ય સેવક' બનીને કાર્યરત રહ્યા છે.જેમની બહુમુખી પ્રતિભા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને ધ્યાને રાખીને સમાજે તેમના નામ પર સર્વાનુમતે મહોર લગાવી સાથ-સહકારની ભાવના સાથે સર્વ સંમતિ સાધવામાં આવી હતી. જેના પરિણામે ઉધવદાસ ભૂગડોમલ ચંદિરામાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.
સમાજના વડીલ મુરબ્બી અને ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી પરમાનંદભાઈ ખટ્ટરની 'ચેરમેન' પદે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે. જેમણે દાયકાઓથી જામનગરથી લઈ અખિલ ભારતીય સિંધી સમાજ સુધી જેમણે પોતાની નિષ્ઠાવાન સેવાઓ આપી છે, તેવા પરમાનંદભાઈનું માર્ગદર્શન આગામી સમયમાં સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ નવી નિમણૂક બાદ બન્ને અનુભવી અને સેવાના ભેખધારી હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી સમાજમાં એકતા જાળવી રાખવાનો અને યુવા પેઢીને સમાજના ઉત્થાન માટે જોડવાનો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં જામનગર સિંધી સમાજ અગ્રેસર રહે તે માટે અમે કટિબદ્ધ છીએ."
આ વરણીને જામનગરના સમગ્ર સિંધી સમાજે સહર્ષ વધાવી લીધી છે અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
