જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલો ખાંભાવાવ રામપર મોટી વેરાવર ગંગાવાવ રોડ એ 7.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો એક અત્યંત અગત્યનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ માર્ગ એક તરફ જામનગર-લાલપુર-પોરબંદર રોડ અને બીજી તરફ જામનગર-સમાણા-ફુલનાથ રોડને જોડે છે, જે આ વિસ્તાર માટે મહત્ત્વની કનેક્ટિવિટી પૂરી પાડે છે.ભારે વરસાદને કારણે આ માર્ગની સપાટી અત્યંત ખરાબ થઈ ગયેલ હતી, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી.
આ પરિસ્થિતિના નિરાકરણ સ્વરૂપે, રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી માટે રૂ.375.00 લાખની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર.વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરાવવામાં આવેલ છે અને તે બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવામાં આવનાર છે.
આ મહત્ત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થવાથી ખાંભાવાવ, રામપર, મોટી વેરાવર તેમજ આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને હવે આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
