હાલ સમગ્ર દુનિયામાં પર્યાવરણને બચાવવા અનેક સંસ્થાઓ અને લોકો વૃક્ષો વાવે છે અને એનું જતન કરે છે.વૃક્ષોના ગેરકાયદેસર કપાવવાથી હાલ પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે.
ત્યારે હમણાં સલાયા અને સોડસલા વચેના રોડ ઉપર લગભગ ૪ થી ૫ જેટલા મોટા વૃક્ષો કાપવામાં આવ્યા છે. અને અમુક વૃક્ષોની મોટી મોટી શાખાઓને કાપી અને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ દ્રશ્યો જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રગટયો છે.
હાલ ત્યાં પીજીવીસીએલની કામગીરી ચાલુ હોય એવું જણાઈ છે! દરેકના મોઢે એક જ વાત થઈ રહી છે કે આટલા વર્ષોના જતન બાદ મોટા થયેલ આ વૃક્ષોનું કાપવાનું કારણ શું ? જો આવી રીતેજ વૃક્ષોનું છેદન ભવિષ્યમાં થતું રહેશે તો પર્યાવરણને આવનારા સમયમાં ભારે નુકશાન થશે.તો આ બાબતે યોગ્ય તપાસ કરી અને વનવિભાગે આની નોંધ લેવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
