જામનગર : અંબીકા ગરબી મંડળમાં સિંદુર રાસે કરી જમાવટ
જામનગર : અંબીકા ગરબી મંડળમાં સિંદુર રાસે કરી જમાવટ
October 01, 2025 06:51 AM
જામનગર શહેરમાં સુમધુર સંગીતના તાલ સાથે શાસ્ત્રીય સંગીતના સથવારે છેલ્લા ૬૧ વર્ષથી અંબીકા ગરબી મંડળમાં બાળાઓે રાસની રમઝટ બોલાવે છે, દેશભકિતની થીમ આધારીત ઓપરેશન સિંદુર અંતર્ગત બાળાઓએ એક દેશભકિતનો રાસ તૈયાર કર્યો છે.
જેમાં સૈનિકોના પહેરવેશમાં દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં આવે છે, આ રાસ જોવા માટે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે અને દેશભકિતના આ રાસે સારૂ એવું આકર્ષણ જમાવ્યું છે.