ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, મગફળી, સોયાબીન, મગ-અડદની ટેકાના ભાવે આ તારીખથી થશે ખરીદી
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, મગફળી, સોયાબીન, મગ-અડદની ટેકાના ભાવે આ તારીખથી થશે ખરીદી
November 05, 2025 10:45 AM
ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારએ રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનારા 9 નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે.
કુદરતી આપતિની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોને આર્થિક રાહત મળી રહે તે માટે સરકારે તત્કાલ પગલાં ભર્યા છે. તંત્રને સુચના અપાઈ છે કે કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સહાય સમયસર પહોંચે તે માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદની અસર બાદ તેમની આર્થિક સ્થિતિમાં થોડી સ્થિરતા આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.